સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

કોડીનાર તાલુકાના સરખડી ગામે મહાદેવ જાની પરિવાર દ્વારા સુરાપુરા પુંજા બાપાની જગ્યાએ હોમાત્મક યજ્ઞ તથા ખીચડીનો મહાપ્રસાદ

ઉના, તા રપ : સમગ્ર ભારતભરમાં રહેતા મહાદેવ જાની પરિવારના સુરાપુરા પુંજા બાપાની સમાધી કોડીનાર તાલુકાના સરખડી ગામે બાળનાથ મહાદેવના મંદિરના સંકુલમાં આવેલ છે. દર વરસની પરંપરા મુજબ મહાદેવ જાની પરિવાર દ્વારા તા. ર૬ ને રવિવારે પોપટલાલ લાધારામ જાની પરિવારના યજમાન પદે સવારે નવચંડી હોમાત્મક યજ્ઞ બપોરે બીડા હોમ તથા બપોરે ૧ર-૩૦ કલાકે ખીચડીનો મહાપ્રસાદ યોજાશે. તમામ મહાદેવ જાની પરિવારે સહકુટુંબ પધારવા નિમંત્રણ આપેલ છે.

(11:39 am IST)