ભાવનગરમાં જયોતિષનો કાંઠલો ઝાલી ત્રણ લવરમૂછીયા રૂ. રપ હજાર લૂંટી ગયા
ભાવનગર તા. રપ :.. ભાવનગરમાં એકટીવા લઇને જઇ રહેલા જયોતિષને મામાકોઠા રોડ પર ત્રણ લવરમુછીયા શખ્સોએ કાંઠલો ઝાલી રૂ. રપ હજારની લૂંટ ચલાવી નાસી છૂટયા હતાં.
બનાવની વિગત એવી છે કે શહેરનાં સુભાષનગર જૂની પીપલ્સ સોસાયટીમાં રહેતા અને જયોતિષ કર્મકાંડી કરતાં સુરેશભાઇ નાનાલાલ પંડયા ઉ.૬૩ તેનું એકટીવા લઇ મોડી રાત્રે ત્રણેક વાગે મામાકાંઠા રોડ પરથી પસાર થતા હતા ત્યારે અંબિકા કન્યા શાળા નજીક ર૦ થી રપ વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા શખ્સોએ બાઇકમાં આવી સુરેશભાઇના એકટીવાને રોકી ધમકી આપી કાઠલો ઝાલી ખીસ્સામાં રહેલા રૂ. રપ હજાર તેમજ મોબાઇલ ફોનની લૂંટ ચલાવી બાઇકમાં નાસી છૂટયા હતાં.
આ અંગે જયોતિષ સુરેશભાઇ એ સી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.