સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

ઉનાઃ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

ઉનાઃ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ આર્ટ ડીઝાઇનમાં અગમ્ય કારણોસર લાગેલી આગ દુર્ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ સહિતનાને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ દ્રોણેશ્વરના પટાંગણમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સાયં આરતી સમયે પૂજય સંતો તથા ઉપસ્થિત ભકતોએ શ્રદ્વા સુમન અર્પણ કર્યા હતા. આ સમયે મૌન પાળ્યા બાદ શ્રદ્વાંજલીરૂપ હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા. મૃતકોને ભગવાન એમના ચરણમાં ચિરસ્થાયી કરે, એમના પરિવારજનોને આઘાત સહન કરવાનું બળ આપે એવી પ્રાર્થના કરાઇ હતી.

(11:35 am IST)