News of Thursday, 25th April 2019
ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા મોરબીમાં કેમ્પ સંપન્ન ૧૭૦ દર્દીઓએ લાભ લીધો
મોરબી : પંથકમાં સેવાકાર્યો કરવા માટે જાણીતી સંસ્થા ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા મોરબીના વાવપરામાં આવેલ રાધાકૃષ્ણ મંદિર ખાતે શ્રીમતી રંજનબેન અનિલભાઇ કારીયા તથા કુ.ટવીશા પરેશભાઇ આડઠક્કર ના જન્મ દિવસે સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૭૦ જેટલા દર્દીઓને ડો. હસ્તિબેન મહેતા તેમજ ડો. વરૂણ ભટ્ટ દ્વારા તપાસવામાં આવ્યા હતા, તેમજ જરૂરીયાત મુજબની દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. બન્ને તબીબો ઉપરાંત કોૈશિક રાવલ (કવિ) દ્વારા નિઃશુલ્ક સેવાઓ આપવામા આવી હતી. કેમ્પને સફળ બનાવવા ઇ.લા. પ્રમુખ હર્ષભાઇ ગામી, સેક્રેેટરી ભાવેશભાઇ દોશી, અશોકભાઇ જોશી, નરેશભાઇ કડેચા, રૂચિરભાઇ કારીયા, ભાવિપ્રસાદ રાવલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
(11:53 am IST)