સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th March 2019

માંગરોળના નાંદરખીમાં ભુલથી ઝેરી દવા પી જતા મજીદા બેલીમનું મોત

શરદીની દવાના બદલે યુવતીએ ઝેરી દવા પી લીધી'તીઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ તા ૨૫ : માંગરોળના  નાંદરખી ગામમાં શરદીની દવાના બદલે ભુલથી ઝેરી દવા પી લેતા મુસ્લીમ યુવતીનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ નાંદરખી ગામમાં રહેતી મજીદા બોદુખાન બેલીમ (ઉ.વ.૧૮) પરમ દિવસેપોતાના ઘર પાસે વાડીએ હતી, ત્યારે શરદીની દવાના બદલે ભુલથી ઝેરી દવા પી લીધી હતી, બાદ તેે ઉલટીઓ કરવા લાગતા તાકીદે  તેના ભાઇને  ફોનકરી દવા પીલીધી  હોવાની જાણ કરતા તેને તાકીદે સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ંખસેડાઇ હતી, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)