આમ આદમી પાર્ટી દિલ્હીની જનતાના રૂપિયા ગુજરાતમાં વેડફી રહી છેઃ સી.આર.પાટીલ
પાલિતાણામાં આપ ઉપર ભાજપ પ્રદેશ પ્રમુખે સાધ્યું નિશાન
સિંહોરઃ ભાવનગરના પાલિતાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પ્રચાર માટે આવેલા સી આર પાટીલ એ આમ આદમી પાર્ટીના આર્થિક સ્ત્રોત ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવેલ કે, દિલ્હી સરકાર દિલ્હીના લોકોના પૈસા ગુજરાતમાં વેડફી રહી છે લોકો તેનો આપ પાસે હિસાબ માંગશે તેમને કોંગ્રેસની નબળાઈના કારણે આપને ગુજરાતમા સફળતા મળી છે. દિલ્હી સરકાર દિલ્હીના લોકોના પૈસા ગુજરાતમાં વેડફી રહી છે લોકો તેનો આપ પાસે હિસાબ માંગશે તેમને મળેલા મત ગુજરાતના નથી પણ કોંગ્રેસના છે.
ભાવનગરના પાલીતાણા ખાતે જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ગઈકાલે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, સંસદસભ્ય ભારતીબેન શિયાળ, જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લનગળીયા, પ્રદેશ નેતા રઘુભા આહીર સહિતના મહાનુભાવો હાજર રહયા હતા સંમેલન પહેલા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૬ મનપામાં ભાજપની પ્રચંડ જીત નોંધાઈ છે. શહેરી વિસ્તારમાં ભાજપ પર જનતાનો વિશ્વાસ અકબંધ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ભાજપનો ભવ્ય વિજય જોવા મળ્યો છે. તો જામનગર અને ભાવનગરમાં પણ ભાજપની નોંધપાત્ર જીત થઈ છે.