સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

રઘુવંશી સોશ્યલ ગ્રુપ જામનગરના હોદેદારો વરાયા મીટીંગ

જામનગરઃ રઘુવંશી સોશ્યલ ગ્રુપ જામનગર લોહાણા જ્ઞાતિની છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત સંસ્થાની મીટીંગ સંસ્થાના પ્રમુખ યોગેશ વિઠ્ઠલાણીનાં અધ્યક્ષ સ્થાને લોહાણા મહાજન વાડીમાં યોજવામાં આવી હતી. જેમાં સંસ્થાના વાર્ષિક હિસાબો સંસ્થાનાં મંત્રી જીજ્ઞેશ સીમરીયા દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. તેમજ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે નાં નવા હોદેદારોની નિમણુક માટે ચર્ચા વિચારણા કરતા સતત ત્રીજી ટર્મ માટે પ્રમુખ તરીકે યોગેશ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ તરીકે અતુલ રાયઠઠ્ઠા, મંત્રી તરીકે જીજ્ઞેશ સીમરીયા, સહમંત્રી તરીકે રમેશ ખાખરીયા, ખજાનચી તરીકે નિલેશ જીવરાજાની અને ઓડિટર તરીકે જયેશ ગોકાણીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી છે.

(12:51 pm IST)