ગોંડલ તથા જેતપુર નગરપાલિકાની ચૂંટણી માટે આર.ઓ. અને એ.આર.ઓ. નિયુકત
રાજકોટ, તા. ૨૫: તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચુંટણી શાંતીપૂર્ણ અને સુચારૂ રૂપે સંપન્ન થાય તે માટે આર.ઓ. અને એ.આર.ઓ.ની નિયુકતી કરાઇ છે.
ગોંડલ નગરપાલિકાની તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર કુલ ૧૧ વોર્ડની સામાન્ય ચુંટણી માટે વોર્ડનં- ૧ થી ૬ માટે આર.ઓ. શ્રી આર.જી.આલ, પ્રાંત અધિકારીશ્રી ગોંડલ (મો. ૮૭૮૦૭ ૩૩૭૦૭) તથા એ.આર.ઓ. વેચાણ વેરા અધિકારીશ્રી કે.એમ.પાંડવ (મો. ૯૭૨૭૫ ૪૮૨૮૧), જયારે વોર્ડનં-૭ થી ૧૧ માટે આર.ઓ. નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના રાજકોટ શ્રી ડી.એમ.ગોહિલ (મો.૭૫૬૭૦ ૨૧૬૮૨, ૯૯૨૫૨૨૪૬૪૬) તથા એ.આર.ઓ. મામલતદાર ગોંડલ(શહેર) શ્રી વી.કે.નકુમ(મો.૭૫૬૭૦ ૦૫૬૩૩) નિયુકત કરાયેલ છે.
તેજ રીતે જેતપુર નગરપાલિકાની પેટાચુંટણી માટે આર.ઓ. શ્રીવી.બી. માંડલીયા(મો. ૯૮૭૯૨ ૫૦૬૪૦) જિલ્લા આંકડા અધિકારીશ્રી, રાજકોટ તથા એ.આર.ઓ. તરીકે શ્રી વિે.એમ.કારીયા (મો. ૭૫૯૪૮ ૧૦૯૮૮) મામલતદારશ્રી, જેતપુર (શહેર)ને નિયુકત કરવામાં આવ્યા છે.