સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

ભાવનગરમાં ૬ કોરોના કેસ

કુલ ૬,૧૩૮ પૈકી ૧૮ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર તા. ૨૫ : જિલ્લામા નવા ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૩૮ થવા પામી છે. જેમા શહેરી વિસ્તારમા ૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમા સિહોર તાલુકાના અમરગઢ ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૧ તેમજ તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧ અને તાલુકાઓમા ૪ કેસ મળી કુલ ૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૩૮ કેસ પૈકી હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(10:29 am IST)