જસદણના વિરનગરમાં મિસ્ત્રી કામના પૈસા બાબતે અરવિંદભાઇ સરસેશા પર હૂમલો
પોપટ શીરોળીયા અને ગેલા શીરોળીયા સામે ફરીયાદ
રાજકોટ તા. રપ :.. જસદણના વિરનગર ગામ પાસે મકાનમાં મિસ્ત્રી કામના પૈસા બાબતે મીસ્ત્રી પ્રૌઢ સાથે બે ભરવાડ શખ્સોએ માર મારતાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જસદણના વિરનગરમાં રહેતા અરવિંદભાઇ ડાયાભાઇ સરસેશા (ઉ.પ૯) એ એક મહિના પહેલા વિરગનર ગામની સીમમાં રહેતા પોપટ સામતભાઇ શિરોળીયા (ઉ.૩૮) (રહે. મુળ કોઠી હાલ વિરનગર) ના મકાનમાં નવ હજારમાં નકકી કરી કામ રાખેલ તે મકાનનું પોણા ભાગનું પોતે પુરૂ કરેલ બાદ પોપટ શિરોળીયા પાસે પાંચ હજાર રૂપિયા માંગતા તેણે કહેલ કે 'તારે પૈસાની શું જરૂર છે' કાંઇ આપવા નથી 'તેમ કહેતા પોતે કામ બંધ કરી દીધુ હતું. અને તેના કુટુંબીભાઇ ગેલા પોલા શિરોળીયાએ અરવિંદભાઇને વીરનગર ગામમાં ચાર દિવસ પહેલા કહેલ કે 'તારે મારાભાઇ લખમણ શિરોળીયાના મકાન માળવાના છે. અને લખમણ સારા માણસ છે. તમને મજૂરીના પૈસા આપી દેશે' તેમ કહેતા અરવિંદભાઇ વીરનગરની સીમમાં લખમણના મકાને ગયા હતાં અને ત્યાં કામ કરતા હતા ત્યારે પોપટ શીરોળીયા પોતાની પાસે આવેલ અને કહેલ કે, લખમણના મકાનમાં તારે કામ કરવાનું નથી' તારા ભાઇને આપવાના છે. તુ અહીથી ભાગીજા તારો ભાઇ મકાનમાં કામ કરી દેશે તેમ કહી ગાળો આપી પોપટ અને ગેલાએ ઉશ્કેરાઇને માર મારી માથાના ભાગે કડુ મારી દેતા ઇજા થઇ હતી. આ મામલે અરવિંદભાઇ એ આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોસ. લાલાભાઇ મકવાણાએ તપાસ હાથ ધરી છે.