સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૬૭ કેસ નોંધાયા, આજે ૧૮૧ દર્દીઓ સ્વસ્થ થયા : જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૭૮૧ થયો.

મોરબી જીલ્લામાં રવિવારે કોરોનાના ઓછા કેસ નોંધાયા બાદ આજે સોમવારે ફરીથી કોરોના કેસોમાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે જેમાં આજે જીલ્લામાં નવા ૨૬૭ કેસ નોંધાયા છે તો ૧૮૧ દર્દીઓ સ્વસ્થ થયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૭૬ કેસ જેમાં ૭૧ ગ્રામ્ય અને ૧૦૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૨૮ કેસો જેમાં ૧૪ ગ્રામ્ય અને ૧૪ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૨૯ કેસો જેમાં ૧૫ ગ્રામ્ય અને ૧૪ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૨૬ અને માળિયા તાલુકાના ૦૮ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૬૭ કેસ નોંધાયા છે આજે જીલ્લામાં ૧૮૧ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૭૮૧ થયો છે.

(11:57 am IST)