સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

મોરબીના ઘુંટુ ગામે વૃધ્ધની હત્યા મામલે શકદાર સામે ગુન્હો નોંધાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૫: મોરબીના દ્યૂટું ગામના રહેવાસી ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા નામના વૃદ્ઘની હત્યા કરવામાં આવી છે વૃદ્ઘ ખેતીકામ કરતા હોય અને પોતાની વાડીએ હોય દરમિયાન કોઈ અજાણ્યા ઇસમોએ હત્યાને અંજામ આપ્યો હતો તો વૃદ્ઘનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હોય જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે.

બનાવ અંગે મૃતક ધરમશીભાઈના પુત્ર અશોકભાઈ પરેચાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પિતાજી ધરમશીભાઈ (ઉ.૬૮) પોતાની વાડીએ ગત તા. ૨૩ ના સાંજના સુમારે ગયેલ હોય ત્યારે કોઈ અજાણ્યા માણસે કોઈપણ કારણોસર ધરમશીભાઈને મફલર થી ગળેટુપો દઈ મારી નાખેલ હોવાની ફરિયાદ નોંધાવી છે તો મુન્નાભાઈ સોમાભાઈ મેર રહે-ધુટુ પર શંકા હોવાથી ફરિયાદમાં શકદાર તરીકે નોંધ કરવામાં આવી છે તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ તાલુકા પોલીસના પી આઈ એમ આર ગોઢાણીયા ચલાવી રહ્યા છે.

વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ ધર્મજીવન એસ્ટેટ પાછળ લાશ પડી હોવાનું જાણવા મળતા ઘુંટુ ગામના મહિલા સરપંચના પતિ દેવજીભાઈ પરેચાએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પીઆઇ ગોઢાણીયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

વધુમાં મૃતક ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા રવિવારે સાંજે પોતાના ઘેરથી વાડીએ જવાનું કહીને નીકળ્યા હતા બાદમાં આજે તેમની લાશ મળી આવી હતી.

(11:43 am IST)