સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

ભાવનગરમાં લગ્ન પ્રસંગે પાલીતાણાના યુવાનનું ખૂન કરનાર ૪ ઝડપાયા

ભાવનગર તા.૨૪:  શહેરમાં ફઈના દીકરીના લગ્ન આ પ્રસંગે આવેલા પાલીતાણાના યુવાનની સામાન્ય બોલાચાલીમાં કરપીણ હત્યા થઈ હતી પોલીસે આ બનાવ અંગે ચાર આરોપીઓને ઝડપી લીધા છે.વિગતો મુજબ પાલીતાણામાં પાંજરાપોર હનુમાન વાળી શેરીમાં રહેતા સુરજભાઈ નીતિનભાઈ ચૌહાણ ઉં.વ.૨૨ તેમનો ભાઇ વિરેન સહિતના પરિવારજનો પાનવાડી વિસ્તારમાં જૂની ચૌહાણ ફળી ખાતે રહેતા તેના ફઇ ના દીકરીના લગ્ન હોય ભાવનગરમાં આવ્યા હતા. રાત્રે દાંડીયારાસનો ે દાંડીયારાસનો કાર્યક્રમ પૂરો થયા બાદ સુરજ ભાઈ વિરમ ભાઈ સહિતના યુવાનો ગલીની બહાર બેઠા હતા ત્યારે સામાન્ય બાબતે અજાણ્યા યુવાન સાથે બોલાચાલી થતા મામલો બિચકતા છ શખ્સોએ બેઝબોલના ધોકા અને છરી વડે સુરજ નીતિનભાઈ ચૌહાણ(ઉં.વ.૨૨) ઉપર જીવલેણ હુમલો કરી વચ્ચે પડેલા વિરેનભાઈ ઉપર પણ હુમલો કર્યો હતો અને નાસી છૂટયા હતા. આ બનાવથી મોડી રાત્રે પાનવાડી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સૂરજનું ઘટનાસ્થળે જ મોત  નીપજ્યું હતું. જ્યારે વીરેન ચૌહાણને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.આ બનાવ અંગે વીરેન નીતિનભાઈ ચૌહાણ એ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિકુંજ નટુભાઈ, પાર્થ નટુભાઈ ,અજય ઉર્ફે અજુ મારવાડી, હિતેશ દામજીભાઈ અને અજાણ્યા બે સહિત કુલ છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવથી લગ્ન પ્રસંગમાં હરખને બદલે શોક ની લાગણી ફેલાઇ જવા પામી છે. આ બનાવની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.આર. ભાચકન કરી રહ્યા છે. દરમિયાન આ બનાવ અંગે પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે.

(11:49 am IST)