સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

રાજુલાના 'અકિલા'ના પત્રકાર સ્વ. શિવકુમાર રાજગોરનું સાંજે બેસણું

રાજુલાઃ અમરેલી જીલ્લાના રાજુલાના અકિલાના પત્રકાર અને રાજુલા જાફરાબાદ પ્રેસ કલબના પ્રમુખ શિવકુમાર હરીશંકરભાઇ  રાજગોર (કાઠી ગોર)નું અવસાન થતા ઘેરો શોક છવાયો છે. સદગતનું બેસણુ તા. રપ-૧-ર૦ર૧ને સોમવારના રોજ બપોરે ૩ થી ૬ તેમના નિવાસસ્થાને કાનજીબાપા નગર સ્પર્શ હોસ્પીટલવાળી શેરીમાં ભરાઇ રોડ રાજુલા ખાતે રાખવામાં આવેલ છે. સંપર્ક નંબર જીતેન્દ્રકુમાર હરીશંકરભાઇ રાજગોર ૯૪ર૮૪ ૬૯૦૪૪, મેહુલભાઇ રાજગોર-૭૦૪૩૩ ૬૨૭૯૮.  તેમની અંતિમયાત્રામાં માજી કેબીનેટ મંત્રી સહકારી ક્ષેત્રના  દિલીપભાઇ સંઘાણી, ધારાસભ્ય અંબરીશ ડેર, પુર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી, રવુભાઇ ખુમાણ, અશ્વીનભાઇ ખુમાણ, જેન્તીભાઇ જાની, નાજાભાઇ પીંજર, કિશોરભાઇ રેણુકી, વિપુલભાઇ લેહરી, અંબરીશભાઇ ડેર ધારાસભ્ય, અમીત જોષી, વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ બીપીનભાઇ વેગડા, જયરાજભાઇ વરૂ, લાલાદાદા, ડો.વીપુલ મહેતા સહીત વિવિધ સંસ્થાના આગેવાનો બ્રહ્મ સમાજના આગેવાનો તમામ પત્રકારો, વ્યાપારી, આગેવાનો સહીત સદગતની અંતિમયાત્રામાં જોડાયા હતા.

શિવભાઇનું દુઃખદ અવસાન થતા વિરોધ પક્ષના નેતા અમરેલી ધારાસભ્ય પરેશ ધાનાણી, ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા, કાઠી ક્ષત્રીય સમાજના પ્રમુખ પ્રતાપભાઇ વરૂ, જાફરાબાદના યુસુફભાઇ દરલાન, કોંગ્રેસ અગ્રણી ટીકુભાઇ વરૂ, માર્કેટીંગ યાર્ડના ઉપપ્રમુખ મનુભાઇ ધાખડા, જાફરાબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હર્ષદભાઇ મહેતા દ્વારા પોતાનો શોક સંદેશ વ્યકત કરાયા હતા.

(1:34 pm IST)