સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

જૂનાગઢ : દેવકામાં પૂ. રમેશભાઇ ઓઝાની ભાગવત કથાનો પ્રારંભ

જૂનાગઢ : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ખાતે આજથી પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની જન્મભૂમિ ખાતે આજ સવારથી પૂ. શરણાનંદજી મહારાજના આશિર્વાદ સાથે યજમાનોએ પોથીજીનું પૂજન કરી અને માસ્ક પહેરીને પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ ભાગવત કથાનો પ્રારંભ કર્યો હતો. કોરોનાની મહામારીને લઇ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ મર્યાદિત શ્રોતાઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલ આ કથાનું સંસ્કાર ચેનલ તેમજ સાંદિપની ટીવી યૂ-ટયૂબના માધ્યમથી લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેનો અસંખ્ય ભાવિકો લાભ લઇ રહ્યા છે. આજે પ્રથમ દિવસે રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર તેમજ હિરાભાઇ સોલંકી, મનુભાઇ દરબાર, કિશોરભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા અંબરીશભાઇ ડેર, દુલાભાઇ વાગડીયા સહિત ભાગવત જ્ઞાન સમિતિ દેવકાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આજરોજ કાર્યક્રમનું સંચાલન ઋષિકુમાર હાર્દિક જોષીએ કર્યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:30 pm IST)