સડક સુરક્ષા જીવન રક્ષાઃ કાગવડ ખાતે જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા પોસ્ટર લગાવાયું
રાજકોટઃ રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ, મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારનાઓ દ્વાર ખોડલધામ મંદીર કાગવડ ખાતે અકસ્માત પ્રદર્શન પોસ્ટર ખુલ્લુ મુકવામાં આવેલ અને માર્ગ સલામતીની ઉજવણી અન્વયે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાગવડ ખાતે આવતા જતા યાત્રીકો અકસ્માત પોસ્ટર પ્રદર્શન નિહાળી શકાય તે રીતે તા.૧૭-ર સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. જેમાં અકસ્માત અંગેના વિવિધ પોસ્ટરો મુકવામાં આવેલ તેમજ ખોડલધામ મંદીર ખાતે આવતા યાત્રીકો દ્વારા આ કાર્યક્રમ નિહાળી શકે તેમજ આ પ્રસંગે ખોડલધામ મંદીરના ટ્રસ્ટી, ગોપાલભાઇ રૂપાપરા તથા કિચ ગૃપ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ચીમનભાઇ હપાણી, પ્રમુખ સહકાર સેવા ટ્રસ્ટી અમીતભાઇ ભાલારા, આરટીઓ અધિકારી પી.બી.લાઠીયા, પો.સબ. ઇન્સ. આર.એ.ભોજાણી, પો.સબ ઇન્સ. ડી.એલ.ખાચર, નિવૃત સીઇઓ રોડસેફટી ઓથોરીટી ગુજરાતના જે.વી.શાહ ઉપસ્થિત રહયા હતા. જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.