મુળીના ટિકરના શહિદ વીર જવાનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
ગંભીરસિંહ ભૂપતસિંહ કાસેલાની અંતિમવિધિમાં ગામ હિબકે ચડયુઃ ઘેરો શોક
વઢવાણ તા.રપ : સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ટિકરગામના વિર જવાન ગંભીરસિંહ ભુપતસિંહ કાસેલા ભારતીય સેનામાં ફરજ બજાવતા શહીદ થતા આખુ ગામ હિબકે ચડયુ છે. આજે તેમના વતન ટિકરમાંગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરીને પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા.
ગંભીરસિંહ આઠ વર્ષ પહેલા ઇન્ડિયન આર્મીમાં પોતાના ફરજ પર પુના ખાતે પોસ્ટીંગ મેળવી લે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા ત્યારે કોઇ કારણોસર આજે અત્યારે શહીદ થયા છે. ત્યારે આ ગંભીર છે અને એક ત્રણ વર્ષના દિકરાએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.
ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં આર્મીના મુળી તાલુકાના ટિકર ગામમાં ધામા છે ત્યારે મુળી તાલુકાના ટિકર ગામના યુવાન આર્મીમાં શહીદ થતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે આજે બપોરે ૧ર વાગ્યા બાદ આ યુવાનનો પાર્થિવ દેહ અને શહીદ જવાનની અંતિમ વિદાય ગાર્ડ ઓફ ઓનર સાથે પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલીન થયો છે.
ત્યારે આજે સવારે ગામના લોકો દ્વારા પુષ્પ અર્પણ કરી આ યુવકની શહીદી અને દેશ પ્રેમ બિરદાવવામાં આવ્યો હતો અને ગામ આજે સજજડ બંધ પાળીને આ યુવક ગંભીરસિંહને સલામી આપી હતી.