News of Tuesday, 24th November 2020
જામનગર-હાપા માર્કેટીંગ યાર્ડમાં ૪૦ હજાર ગુણી મગફળીની આવક
નિકાલ ન થાય ત્યાં સુધી આવક બંધ -હરરાજી ચાલુ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૪ :.. માર્કેટ યાર્ડ - હાપામાં ગઇકાલે બપોરના ૩ થી આજે સવારે પ વાગ્યા સુધી મગફળીની આવક લેવામાં આવેલ હતી.
જેમાં મગફળીના ૪રપ વાહન અને ૪૦૦૦૦ ગુણીની આવક થયેલ છે. અને ફરીથી આ માલનો નિકાલ ન થાય ત્યાર સુધી મગફળીની આવક બંધ કરવામાં આવેલ છે. હરરાજી ચાલુ રહેશે. તેમ સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું છે.
(1:21 pm IST)