સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિ'માં ત્રણ યુવકોએ આત્મહત્યા કરી

રતનપર ખાણ વિસ્તારમાં યુવકે પેટ્રોલ છાંટીને મોત વ્હાલુ કર્યું : મુળીના ઉમરાળા ગામની સીમમાં સળગી જતા મોત : જોરાવરનગરમાં પિતાએ ઠપકો આપતા જિંદગી ટુકવવી

વઢવાણ,તા. ૨૪:સુરેન્દ્રનગર જીલ્લામાં એક જ દિ'માં અલગ અલગ સ્થળે ત્રણ યુવકોએ આપઘાત કરી લુતા અરેરાટી વ્યાપી ગઇ છે.

કીરીટભાઇ ઉર્ફે ગીરીશ  નારાયણભાઇ સગરામભાઇ પચ્છમીયા ત.કોળી ઉ.વ.૨૭ ધંધો મજુરીકામ રહે. રતનપર, ખાણવિસ્તાર બળદેવભાઇની દુકાન પાસે તા.વઢવાણ ફરીયાદ નોંધાવે છે કે ઉ.વ.૪૯ ધંધો મજુરીકામ રહે. રતનપર, માળોદ ચોકડીથી મેકસન સર્કલ તરફ જતા રસ્તે થોડે આગળ હનુમાનજીનાં મંદીર પાસે, આજથી પંદેરેક વર્ષ પહેલા ધાબા ઉપરથી પડી ગયેલ હોય ત્યારે માથામાં વાગેલ હોય ત્યારથી માનસીક એટલે કે મગજના ડોકટરની દવા ચાલુ હોયજેથી તેમનુ માનસીક સંતુલન દ્યણા સમયથી બરાબર ન હોય જેથી, કોઇ કારણસર જાતેથી પેટ્રોલ છાંટીને સળગી જતા મોત થતા. તપાસ એચ.સી. સી.એચ.મકવાણા કરે છે.

રાજુભાઇ લઘરભાઇ મકવાણા અનુ.જાતિ ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે.ઉમરડા ગામ વાડી વિસ્તાર તા.મુળી ફરીયાદ નોંધાવે છે કે, ઉમરડા ગામની સીમમાં રતનબેન રાજુભાઇ લઘરભાઇ મકવાણા  ઉ.વ.૩૪એ રસોઇ બાબતે ઠપકો આપેલ જેથી તેઓને મનમાં લાગી આવતા પોતાની જાતે સળગી જતા મૃત્યુ પામેલ છે.તપાસ એચ.એસ.ઝાલા એ.એસ.આઇ મુળી કરે છે.

રાજુભાઇ ગોરધનભાઇ કોરડીયા ચુ.કોળી ઉ.વ.૪૯ ધંધો મજુરી રહે.મુળ કોળીપરા મુળી હાલ રહે જોરાવરનગર લુહાર સુથારની વાડી પાસે એ ફરીયાદ નોંધાવે છે કે, નીલેષભાઇ રાજુભાઇ ગોરધનભાઇ કોરડીયા  ઉ.વ.આ-૨૧ એ તેના પીતા એ ઠપકો આપતા લાગી આવતા પોતની જાતે થી પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઇ જતા મૃત્યુ પામેલ છે.

સુરેન્દ્રનગરના કોટડા ગામ પાસે ડ્રાઇવરને હૃદયરોગનો હુમલો આવતા મોત

ભરતભાઇ વરસંગભાઇ ગોહીલ નાડોદા રાજપુત ઉ.વ.૫૮ ધંધો-કંડકટર સરકારી બસમાં રહે. ટીંબા વઢવાણ તા-સાયલા ફરીયાદ નોંધાવે  છે છેલભાઇ કાળાભાઇ ખાચર કાઠીદરબાર ઉ.વ.૫૮ ધંધો.ડ્રાઇવર સરકારી બસ મા રહે.સુદામડા કોટડા ગામે સરકારી સ્કુલમાં રાત્રી રોકાણ દરમ્યાન અચાનક છાતીમાં દુખાવો થતા હાર્ટ એટેક આવતા મૃત્યુ પામેલ હોય સાયલા સરકારી દવાખાને જાહેર કર્યા બાબત. તપાસ હેડ કોન્સ. મુકેશભાઇ એમ. પરમાર ધજાળા કરે છે.

(11:51 am IST)