જામજોધપુરમાં પૂ. જલારામબાપા જન્મજયંતિની ઉજવણી
જામજોધપુરઃ રઘુવંશી જ્ઞાતિના પૂજનીય અને સંતશિરોમણી પૂજય જલારામબાપાની રર૧ મી જન્મજયંતિ નિમિતે જામજોધપુર શહેરમાં સવારથી જ ધર્મમય માહોલ છવાયો હતો. જલારામ જયંતી નિમિતે સવારથી જ જલારામ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભકતો દર્શનાથે ઉમટયા હતા અને ભકતોએ જલારામબાપાની ભકિત કરી હતી આ ઉપરાંત જલારામ મંદિરને સુંદર રોશની વડે શણગારવામાં આવ્યું હતું. આયોજન માટે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કોરોનાની ગાઇડલાઇનના નિયમોની અમલવારી તથા દર્શન વ્યવસ્થા સહિતની જરૂરી નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી દર વર્ષે યોજાતી પુજય જલારામબાપાની શોભાયાત્રા તેમજ જ્ઞાતિના સમુહ પ્રસાદ સહિતના કાર્યક્રમો વર્તમાન પરિસ્થિતને અનુલક્ષીને રદ કરવામાં આવ્યા હતા. તેમ વિજયભાઇ સોઢા (પ્રમુખ જલારામ મંદિર) એ જણાવ્યું હતું (તસ્વીર-અહેવાલ : દર્શન મકવાણા જામજોધપુર)