News of Saturday, 24th October 2020
અમરેલી જીલ્લામાં કોરોનાના ૧૬ કેસ
અમરેલી તા.ર૪ : કોરોના કારણે મૃત્યુ પામવાના બનાવમાં અમરેલી જિલ્લામાં નોંધપાત્ર ઘટાડો ચાલુ રહયો છે. ગઇકાલે ગુરૃવારે બે દર્દીના મૃત્યુ થયા બાદ શુક્રવારે યમરાજ ખાલી હાથે પાછા ગયા હતા અને તમામ દર્દીઓ સલામત રહયા હતા. જિલ્લામાં શુક્રવારે કોરાનાનાં નવા ૧૬ કેસ નોંધાયા હતા. અને ર૬ દર્દીઓ સાજા થયા હતા એ સાથે જ કોરોનાના સારવાર લઇ રહેલા કોરોનાની સંખ્યા ૧૭૪ થઇ છે અને કુલ કેસની સંખ્યા રપ૮૩ થઇ છે જયારે સતાવાર મૃત્યુઆંક ૩૩ની રહયો છે.
(12:46 pm IST)