સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

રાજકોટ દાઉદી વ્હોરા સમાજ સેવા ગ્રુપની મહિલાઓ કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની મુલાકાતે

જસદણઃ રાજકોટમાં અનેકાએક સેવાકીય પ્રવૃતી કરતી વ્હોરા સમાજની મહીલાઓએ કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની મુલાકાત લીધેલ. અગ્રણી દુરૈયાબેન મુસાણીના વડપણ હેઠળ અનેકાએક સર્જનાત્મક સેવાકીય પ્રવૃતી થઇ રહી છે. જેનો લાભ સમાજના છેવાડાના લોકોને મળી રહયો છે. બાલાશ્રમની દુરૈયાબેન, મલેકાબેન, તસ્નીમબેન, મુનીરાબેન, અરવાબેન, હસીનાબેન, અલીફીયાબેન, રઝીયાબેનએ મુલાકાત લઇ તથા ફ્રોક, બિસ્કીટ, વેફર,ચોકલેટનું વિતરણ કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતું. (તસ્વીરઃ હુસામુદીન કપાસી)

(11:39 am IST)