સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

પોરબંદરની વીર ભનુની ખાંભી નજીક કાર અકસ્માત : ASI ગોવિંદભાઈ ગરચરનું મોત :એક પોલીસકર્મી ગંભીર

પોરબંદરની વીર ભનુ ની ખાંભી નજીક અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે એક કાર અકસ્માત સર્જ્યો છે. વીર ભનુ ની ખાંભી નજીક ફરજબજાવી રહેલા 2 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સારવાર દરમિયાન એ.એસ.આઈ.ગોવિંદભાઈ ગરચર નું મોત નીપજ્યું છે જ્યારે 1 પોલીસ કર્મી ને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના ની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોરબંદરમાં મોડી રાતે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરની કમલાબાગ પોલીસના બે પોલીસકર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પુરપાટે દોડી આવી રહેલી જીપ કમ્પાસ કારે સર્કલ નજીક ઓટોને ટક્કર મારી હતી જેમાં નાઇટ કોમ્બિંગમાં ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓને અતિગંભીર ઇજા પહોંચી હતી.આ ઇજાગ્રસ્ત પૈકીના એ.એસ.આઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન રાજકોટ સારવાર માટે લઈ જવાઈ રહેલા ASIનું રસ્તામાં જ મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(11:54 am IST)