સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

ઉનામાં ડૂબી જવાથી યુવાનનું મોત

ઉના, તા.૨૪: શહેરમાં મછુન્દ્રી નદીમાં ડુબી જવાથી યુવાનનું મોત નીપજયુ હતું. નગરપાલીકા દ્વારા ફાયર બ્રીગેડે યુવાનના દેહ નદીમાંથી બહાર કાઢયો હતો. આ ચોમાસા સીઝનમાં ૪નાં ડુબી જવાથી મોત થયા હતા.

ભકિતનગરમાં રહેતા શાંતીભાઇ જેઠાભાઇ મકવાણા ઉ.વ.૩૮ મછુન્દ્રી નદીમાં ચાલીને જતા હતા ત્યારે () પાછળ હાજી પીરની દરગાહ પાસે નદીમાં પાછળનો પ્રવાહ હોય અકસ્માતે પડી જતાં ડુબી ગયા હતાં અને લોકોને જાણ થતાં ઉના નગરપાલીકાનાં ફાયર બ્રિગેડને જાણ કરતા તુરંત આવી જઇ પાણીમાંથી બેભાન હાલતમાં બહાર કાઢી સરકારી હોસ્પિટલે લઇ જતાં ડોકટરે પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયાનું જાહેર કરતા ઉના પોલીસનાં તેમના ભાઇ જીવનભાઇ જેઠાભાઇ મકવાણાએ જાહેરાત કરતા પોલીસે એ.ડી.નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરમાં મછુન્દ્રી નદીમાં ડુબી જવાથી એક મહિનામાં ૪ લોકોનાં મોત થતાં આ વિસ્તાર ગોજારો બન્યો છે.

(10:11 am IST)