News of Saturday, 24th September 2022
ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
મૃતક એ લાંબા સમયની માનસિક બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું
( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :શહેરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી તેના ઘેર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના નિર્મળનગર શેરી નંબર 6 વૃંદાવન ફ્લેટમાં રહેતા ધીરેનકુમાર મનહરલાલ દેસાણી ઉં.વ.52 એ તેના ઘેર ગરાફ હસો ખાઈ આ બધા તોરી લીધો હતો મૃતક એ લાંબા સમયની માનસિક બીમારી થી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે મૃતક યુવાન ભાવનગરના મહિલા મેયરના ભાઈ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
(8:41 pm IST)