સાવરકુંડલા શાળામાં વેલકમ નવરાત્રી મહોત્સવ ઉજવાયો
(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૪ : સહજાનંદ ગુરુકુળ જેસર રોડ પર ઉજવાયો ભવ્ય નવરાત્રી મહોત્સવ જેમાં શાળાના જ વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ સંગીત સાથે સુંદર ગરબાઓની રમઝટ થઈ જેમાં શાળાના શિક્ષક કૌશિકગીરીએ સુંદર ગરબાઓ રજૂ કરી અને સંગીતના તાલે વિદ્યાર્થીઓ ગરબા રમતા હતા. તમામ વિદ્યાર્થીઓએ આપણા ભાતીગળ પહેરવેશમાં ગરબાનો આનંદ માણ્યો બાલમંદિરથી લઈ ધોરણ દસ સુધીના તમામ વિદ્યાર્થીઓએ શક્તિની આરાધના કરી હતી. શાળાના આચાર્યશ્રી ગીરીશભાઈ વ્યાસે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શક્તિ આરાધના ના આ ઉત્સવને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કણકોટિયાએ તેમજ આ સંસ્થાના પ્રમુખ શ્રી ભગવત પ્રસાદદાસજી સ્વામીએ પોતાનો રાજીપો અને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં કલરવ બગડા તેમજ મંત્ર ગૌસ્વામી અને દીપ યાદવે પોતાનું સંગીત રેલાવ્યું હતું અને આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.