વીરપુર જલારામમાં ખેડૂત સેવા જૂથ સહકારી મંડળીની ખેડૂત શિબિર યોજાઇ
વીરપુર જલારામ : જગવિખ્યાત યાત્રાધામ વિરપુર ગામે રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.તથા ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી.ના સંયુકત ઉપક્રમે ખેડુત શીબીર તેમજ જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ લી.તેથા વિરપુર જુથ સેવા સહકારી મંડળી લી.ની વાર્ષીક સાધારણ સભા યોજાય હતી જેમાં જીલ્લા બેંક તરફથી મંડળીઓને પ્રોત્સાહન ઈનામ રૂપે મોટર સાયકલ વિતરણ તેમજ અકસ્માતે અવસાન પામેલ સભાસદોના વારસદારોને અકસ્માત વિમાની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા,આ ખેડૂત શિબિર કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય અને ય્ઝ્રઘ્ બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા તેમજ રાજકોટ દૂધ ડેરીના ચેરમેન અને વિરપુર ખેડૂત સેવા જૂથ સહકારી મંડળીના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યા હતા તેમજ અકસ્માતે અવસાન પામેલ ખેડૂતોને ખેડૂત વીમા યોજના અંતર્ગત ખેડૂતોના વારસદારોને વીમા રકમના ચેક વિતરણ કરાયા હતા. વિરપુર જુથ સેવા સહકારી મંડળી લી.ની ૬૭ મી વાર્ષિક સાધારણ સભાનું સંચાલન રાજકોટ જીલ્લા દુધ સંઘ લી.ના ચેરમેન તેમજ પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા દ્વારા કરવામાં આવેલ. જેમાં મંડળીમાં જોડાયેલ ૧૫૦૦ કે તેથી વધુ ખેડૂત સભાસદો છે.મંડળીનો વાર્ષિક નફો રૂ.૩૩ લાખ થયેલ છે.મંડળી છેલ્લા ૧૦ વર્ષથી ૧૫% ડીવિડન્ડ જાહેર કરે છે.તેમજ ધિરાણ લેતા સભાસદો નો એકસીડન્ટ વીમો રૂ.૧૦ લાખ સુધીનો મંડળી દ્વારા લેવામાં આવે છે.જેમનો ખર્ચ મંડળી ભોગવે છે આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય અને ય્ઝ્રઘ્ બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, ય્ઝ્રઘ્ બેન્કના એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મગનભાઈ ઘોણીયા, રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ પ્રવીણભાઈ રૈયાણી, રાજકોટ જિલ્લા સહ. પ્રકાશન અને મુદ્રા.ના પ્રમુખ રવજીભાઈ હિરપરા, ય્ઝ્રઘ્ બેન્કના ડિરેકટર લલિતભાઈ રાદડિયા,રાજકોટ જિલ્લા પંચાયત જનકભાઈ ડોબરીયા,ભુપતભાઈ સોલંકી,જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઇ સરવૈયા, વીરપુરના સરપંચ રમેશભાઈ સરવૈયા, વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના વ્ય. કમિટીના સભ્યશ્રીઓ તથા જેતપુર તાલુકાના સહકારી, રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : કિશન મોરબીયા વિરપુર જલારામ)