ગોંડલમાં બુધવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ
વ્યાસાસને ચેતનભાઇ શાસ્ત્રી
(અશોક જોશી દ્વારા) ગોંડલ તા. ર૪ :.. લોહાણા મહાજનવાડીના પ્રમુખશ્રી દિપકભાઇ સોનપાલ દ્વારા રોયલ પાર્ટી પ્લોટ ભોજરાજપરા ખાતે ભાગવત સપ્તાહ તા. ર૯-૯-ર૧ થી ૬-૧૦-ર૧ સુધી કથા વ્યાસાસને ચેતનભાઇ શાસ્ત્રી સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે આ પાવનકારી પ્રસંગે અમુલ્ય કથાનું રસપાન કરવા અને દર્શન કરવા ભાવિકોને સ્નેહપૂર્વક આમંત્રણ છે સમય ૯.૩૦ થી ૧ર.૩૦ અને ૩.૩૦ થી ૬.૩૦ સુધી કથા દરમ્યાન રામ પ્રાગટય કૃષ્ણજન્મ, રૂક્ષ્મણી વિવાહનું કાર્યક્રમ યોજાશે. દરરોજ શ્રીનાથજી સંત્સગ, લોટી ઉત્સવ અને મા-બાપને ભૂલશો નહિનું પણ આયોજન છે ભોજન પ્રસાદ રોજ બપોરે ૧ કલાકે અને સાંજે ૭ કલાકે રાખેલ છે. પોથી યાત્રા પધરામણી તા. ર૯-૯- બુધવારે ૩ કલાકે તો દિપકભાઇ સોનપાલ પાવન મસાલા ગ્રુપ તરફથી આમંત્રણ છે.