સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

પૂર્વ કચ્છના ૩૦ વિસ્તારોમાં માઈક્રોકન્ટેન્મેન્ટ ઝોન લાગુ :લોકોની અવર જવર પર પ્રતિબંધ

અંજાર અને ગાંધીધામના શહેર તાલુકાના ર૯ વિસ્તારો અને ભચાઉના ઘંટીવાસ વિસ્તારનો સમાવેશ

ભુજ : કોરોનાનો કેસ આવતા પૂર્વ કચ્છના ૩૦ વિસ્તારોમાં માઈક્રોકન્ટેન્મેન્ટ ઝોન લાગુ કરાયો છે, જેમાં અંજાર અને ગાંધીધામના શહેર તાલુકા મળી કુલ ર૯ વિસ્તારો તેમજ ભચાઉના ઘંટીવાસ વિસ્તારનો સમાવેશ થાય છે. આ એરિયામાં લોકોની અવર જવર પર પ્રતિબંધ રાખતો હુકમ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.

(7:22 pm IST)