News of Thursday, 24th September 2020
રણછોડદાસબાપુના શિષ્ય ૯૧ વર્ષના વરસડાના હરજીવનભાઇ મણિયારે ર૯ દિ' સારવાર લઇ કોરોનાને હરાવ્યો
અમરેલી : તાલુકાના વરસડા ગામના વતની અને રઘુવંશી સમાજના મોભી ચંદુભાઇ મણીયાર અને પ્રવિણભાઇ મણીયારના પિતાશ્રી સદ્ગુરૂ દેવશ્રી રણછોડદાસ બાપુના પરમ શિષ્ય ૯૧ વર્ષના હરજીવનભાઇ કોરોનાના સંક્રમણમાં આવી ગયા હતાં. સતત ર૯ દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહી કોરોનાને મહાત આપી ઘરે પરત ફર્યા હતાં. અમરેલી સીવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ એવા ડોકટરો અને સ્ટાફની મહેનતે રંગ લાવ્યો છે આજે હરજીવનભાઇએ અને એમના પરિવારના સભ્યોએ શાંતાબા મેડીકલ કોલેજ અને સમગ્ર મેડીકલ ટીમનો આભાર માન્યો છે. (તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ-અમરેલી)
(12:59 pm IST)