News of Thursday, 24th September 2020
જામનગરમાં પરોઢિયે ૧.૭નો આંચકો
ગઇકાલે બે કંપન અનુભવાયેલ : કેન્દ્રબિંદુ ૨૩ કિ.મી. દૂર : લોકોમાં ભય
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૪ : જામનગર જિલ્લામાં મોડીરાત્રે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો. જામનગરના ગ્રામ્ય પંથકમાં રાત્રે ૩ૅં ૪૪ કલાકે ૧.૭ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી ૨૩ કિલોમીટર દૂર નોંધાયું હતું. ગઇકાલે પણ જામનગર જિલ્લામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા આજે વધુ એક આંચકાથી લોકોમાં ભય પ્રસરી ગયો છે.
(11:29 am IST)