સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th September 2019

ચોટીલાના ચોબારી રામપરામં સોનલબેન અને રાબીબેન પર સુરેશનો પથ્થરમારો

રાજકોટ તા. ૨૪: ચોટીલાના તાબેના રામપરા ચોબારી ગામે રહેતાં સોનલબેન મુકેશભાઇ સોલંકી (ઉ.૩૫) તથા રાબીબેન ગેલાભાઇ પાંચાલ (ઉ.૫૦) પર સાંજે ગામમાં હતાં ત્યારે પથ્થરમારો થતાં ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલાએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. ગામના સુરેશ લાખાભાઇ સોલંકીએ ઝઘડો કરી પાણકાના ઘા કરી ઇજા કર્યાનું પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું.

(11:57 am IST)