સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

અમરેલીનાં પરશુરામ મંદિરમાં કોમ્યુનીટી હોલ બનાવવા ગ્રાન્ટ ફાળવવામાં વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીઃ આભાર વ્યકત કરતા ભૂદેવો

 અઢારેય વર્ણ ને સાથે લઈ ચાલવાની નેમ ધરાવતાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી એ અમરેલી જિલ્લાઙ્ગ ના સમસ્ત બ્રહ્મ સમાજ ના આસ્થાનું કેન્દ્ર સમાન પરશુરામ બાગ જે અમરેલી શહેર ખાતે રેલવે સ્ટેશન નજીક આવેલ છે જયાં ભગવાન પરશુરામ જી મહારાજ નું ભવ્ય મંદિર નિર્માણધીન છે ત્યાં સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર ની લાગણી અને માગણી ને ધ્યાને રાખી ને રૂપિયા ૩૦૦૦૦૦ ત્રણ લાખ જેટલી માતબર ગ્રાન્ટ મંદિર પરિસરમાંઙ્ગ કોમ્યુનીટી હોલ બનાવવા માટે ફાળવતા અને ભવિષ્યમાં પણ બ્રહ્મસમાજની જરૂરિયાતો માં સદાય મદદરૂપ થવાની ખાત્રી આપતા અમરેલી જિલ્લા બ્રાહ્મણ પરિવાર માં હર્ષ ની લાગણી છવાઈ ગઈ છે અને આ બાબતે અમરેલી જિલ્લા ના તમામ ભૂદેવો તરફથી પરેશભાઈ ધાનાણીનો ધન્યવાદ વ્યકત કરવામાં આવ્યો હતો. તે વખતની તસ્વીર.ઙ્ગ અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ ના પ્રમુખ ઉદયન ભાઈ ત્રિવેદી જનક પંડ્યા એડવોકેટ સંદીપ પંડ્યા ચિરાગ ત્રિવેદી મૂળશંકર તેરૈયા બંટી ઠાકર શ્યામલ મહેતા મુકેશ તેરૈયા નરેશ અધ્યારૂઙ્ગ બકુલ ઓજા ચેતન ભટ્ટ ગૌરવ જોશી ભાવિન ત્રિવેદી એડવોકેટ અજય પંડ્યા જયેશ દવે રાજુલા અમિત જોશી રાજુલા નીરવ ભટ્ટ રાજુલા શશિકાન્ત જાની સુનિલ રાજય ગુરુ તંત્રી શ્રી આગમન નિલેશ જાની હાર્દિક દવે લીલીયા ટાઈમ્સ તંત્રી મુકુન્દ ભાઈ મહેતા રાજન જાની મુકેશ જાની આકાશ જોશી મનોજ ભટ્ટ (મામા) રાજુ વ્યાસ જય હિન્દ ભજીયા સહિતના લોકોએ મહેનત કરી હોય આખરે બ્રહ્મ સમાજ ની માંગણી મંજુર થતા સમગ્ર અમરેલી જિલ્લામાં બ્રાહ્મણ પરિવાર દવારા આભાર લાગણી વ્યકત કરવામાં આવી છે.(તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ.અમરેલી)

(1:09 pm IST)