હરસિધ્ધી માતાજી ટ્રસ્ટ હડીયાણાના પ્રમુખ તરીકે તેજસ ત્રિવેદી
નવી ટીમ જાહેર : દશેરાએ માતાજીના હવનનું આયોજન : રાજકોટથી બસ વ્યવસ્થા
રાજકોટ : હડીયાણામાં શ્રી હરસિધ્ધી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના નવા હોદેદારોની વરણી કરવામાં આવતા આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે તેજસ ત્રિવેદી (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮) ની વરણી કરાઇ હતી. જયારે મહામંત્રી તરીકે શશીકાંત ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે બ્રિજેશ ત્રિવેદી, સહમંત્રી તરીકે જીજ્ઞેશ ત્રિવેદી, ખજાનચી તરીકે મનોજભાઇ ત્રિવેદી, પ્રચાર પ્રસાર મંત્રી તરીકે રાજ ત્રિવેદી, કારોબારી સભ્યોમાં આનંદભાઇ ત્રિવેદી, અમુલભાઇ ત્રિવેદી, જયદીપભાઇ ત્રિવેદી, સ્મિતલભાઇ ત્રિવેદી, દીપકભાઇ ત્રિવેદી, સલાહકાર તરીકે ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટીઓ અશોકભાઇ ત્રિવેદી, રાજુભાઇ ત્રિવેદીની વરણી કરવામાં આવી હતી. દરમિયાન આગામી તા. ૮ ના દશેરાના દિવસે હડિયાણામાં માતાજીના હવનનું આયોજન કરાયુ છે. રાજકોટથી હડીયાણા જવા માટે ટોકન દરે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જોડાવા ઇચ્છુકોએ નામ નોંધાવવા જીજ્ઞેશ ત્રિવેદી (મો.૯૬૬૨૨ ૦૦૫૭૫) અથવા રાજ ત્રિવેદી (મો.૯૬૬૨૦ ૧૦૭૧૦) નો સંપર્ક કરવા જણાવાયુ છે.