સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

ગુરુપૂર્ણિમા નિમિતે દ્વારકાધીશ જગતમંદિર તથા પવિત્ર ગોમતી સ્નાનમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર

( દીપેશ સામાણી દ્વારા ) દ્વારકા : દ્વારકાધીશ જગતમંદિરે આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, પરંપરા અનુસાર સૌપ્રથમ દ્વારકાધીશ મંદિર અજીકાવેલ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી હજારોની સંખ્યામાં ભાવિકો છપ્પન સિદી સ્વર્ગદ્વારથી જગત મંદિરમાં પ્રવેશી ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

(10:18 pm IST)