સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

પોરબંદર જિલ્લા રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના પ્રમુખ સહીત હોદેદારોના પાર્ટીમાંથી રાજીનામા

જીલ્લા રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના જીલ્લા પ્રમુખ મહેશભાઇ નાંઢા તથા સભ્યોઍ જણાવેલ કે અમારે સમાજ સેવા કરે અને ખોટા વચનો ન આપે તેવી અન્ય પાર્ટીમાં કામ કરવુ હોય જાડાવવું હોય રાજીનામા ધરી દીધા છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૪: રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના જિલ્લા પ્રમુખ એડવોકેટ મહેશભાઇ નાંઢા તથા હોદેદારોએ સામુહીક રાજીનામા રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના અધ્યક્ષ મનુભાઇ ચાવડાને મોકલી આપેલ છે.

આ રાજીનામા પત્રમાં જણાવેલ કે રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી માત્ર ખોટા વાયદાઓ કરી અને કોઇ વચન પાળતા નથી તથા પોતાના કર્તવ્ય નિષ્ઠાવાન કાર્યકરોની કોઇ દરકાર કરતી નથી અને માત્ર ખોટી વાતો કરે છે અને અમારે સમાજમાં સેવા કરે તથા સહયોગ અને માન સન્માન આપે અને પોતાના વાયદાઓ પુરા કરે તથા ખોટા વચનો ન આપે તેવી પાર્ટીમાં કામ કરવુ હોય  તેથી હું તથા આખી પોરબંદર જીલ્લાની બોડી જેમ કે પોરબંદર જીલ્લાના આઇટી સેલના પ્રમુખ તથા ઘેડ વિસ્તારના પ્રમુખ સવદાસભાઇ એસ.બાલસ, ઉપપ્રમુખ અશ્નય ડી.રાણીંગા તથા વિનુભાઇ ડી.ભુંડીયા, ઉપપ્રમુખ તથા પરેશભાઇ ઉમરાણીયા, મહામંત્રી અને  પિનાક જે.વારા,  મંત્રી તથા કારોબારી સદસ્યો ભુપતભાઇ વાઢેર, લીલાભાઇ કાઠી, વાનાભાઇ સોલંકી અને પાર્ટી અન્ય હોદેદારો તથા તમામ સભ્યો એક સાથે રાજીનામુ ધરી દીધા છે. 

(1:06 pm IST)