સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી

વાંકાનેર, તા.૨૪: વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી ઐતેહાસિક પૂજય શ્રી મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સવારે સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપૂ, સંત શિરોમણી શ્રી જલારામબાપાનું ગુરૂપુજન તેમજ શ્રી પટેલબાપુનું પૂજન શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતીના શ્રી વિશાલભાઈ પટેલ, શ્રી અજિતકાકા , શ્રી દીપકભાઈ, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી વિકાસભાઈ પૂજારી, પરિમલ ત્રિવેદી, પરિમલ સોની તથા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતી ના દરેક સભ્યોએ, ભાવિક ભકતજનોએ ગુરૂપુજન ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે કરવામાં આવેલ જ પૂજન શાસ્ત્રીજી શ્રી મેહુલભાઈ મહારાજશ્રીએ કરાવેલ હતું. ત્યારબાદ સદગુરૂદેવશ્રી ની આરતી કરવામાં આવેલ હતી. સરકારની ગાઈડ લાઈન અનુસાર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ હતી. પ્રતિ વર્ષ યોજાતા બપોરે મહા પ્રસાદ આ વર્ષ હાલની પરિસ્થિતિના અનુલક્ષીને બંધ રાખેલ હતો, રાત્રે ૯: ૩૦ ધૂન મંડળ દ્વારા 'ધૂન'નો કાર્યક્રમ સત્સંગ હોલમાં રાખેલ છે. આજરોજ સવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે થયેલ છે તેમ  શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના સંચાલક વિશાલભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે. આજે શ્રી પટેલબાપુની સેવાના કાર્યો સહુએ યાદ કરેલ હતા.

(11:40 am IST)