માંગરોળના પૂર્વ ધારાસભ્ય અને પીઢ મેર આગેવાન સુકાભાઇના નિધનથી મેર સમાજ અને સોરઠના જાહેર જીવન મુઠી ઉપર વ્યકિત્વ ગુમાવ્યું છે : અજુનભાઇ મોઢવાડીયા
પોરબંદર : માંગરોળના પૂર્વ ધારાસભ્ય અને મહેર સમાજના પીઢ આગેવાન સુકાભાઈ આત્રોલિયાને શ્રદ્ધાંજલી અર્પતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વરિષ્ઠ કોંગ્રેસ આગેવાન સુકાભાઈ આત્રોલીયાના નિધનથી સમગ્ર સોરઠ પંથકે અને જાહેરજીવને મુઠી ઉચેરું વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
માંગરોળના પૂર્વ ધારાસભ્ય, પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, જુનાગઢ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, મારા વડીલ અને માર્ગદર્શક, પીઢ સામાજિક અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન મુરબ્બી સુકાભાઈ આંત્રોલીયાનુ દુખદ નિધન થતાં મહેર સમાજે અને સોરઠના જાહેર જીવને મુઠી ઉચેરું નેતૃત્વ ગુમાવ્યું- છે તેમ દુખ વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું.
સ્વ. સુકાબાપાને શ્રદ્ધાજલિ અર્પતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ વધુમાં જણાવ્યું હતું કે સ્વ. સુકાભાઈ આંત્રોલીયા ઘેડ વિસ્તારના ગરેજ ગામથી જાહેર જીવનની શરૂઆત કરીને ઊંડી કોઠાસૂઝ અને રાજકીય કુનેહની સાથે સૌને સાથે રાખીને ચાલવાની ઉમદા ભાવનાથી પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેમજ બૃહદ જુનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ઉમદા સેવાઓ પ્રદાન કરીને સમગ્ર સોરઠના મજબુત રાજકીય આગેવાન તરીકે પ્રસ્થાપિત થયા હતા. માંગરોળ બેઠક પરથી ધા ચુંટાયા હતા અને ઘેડ વિસ્તારના અનેક વિકાસના કામોને વેગ આપ્યો
ઊડી કોઠાસૂઝ, સમય પાલન, સાદગી અને સરળતા અને ધરાવતા સ્વ. સુકાભાઈ આંત્રોલીયાએ સામાજિક અને પ્રદાન પૂરું પડ્યું હતું. મહેર કન્યા છાત્રાલય અને મહત્વપૂર્ણ યોગદાન રહેલું હતું.
સ્વ. સુકાભાઈ આત્રોલીયાના દુખદ નિધનથી સોરઠ કોંગ્રેસ આગેવાન અને વ્યક્તિગત જીવનમાં મેં વડીલ માર્ગદર્શક ગુમાવ્યા છે તેમ શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાઅે જણાવ્યું હતું.