સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ચોટીલાના દેવચરના નાગરભાઇ કોળીનું છકડો પલ્ટી જતાં મોત

રાજકોટ તા. ૨૪: ચોટીલાના દેવચર ગામના નાગરભાઇ સામતભાઇ દેત્રોજા (કોળી) (ઉ.૫૦)નું છકડો રિક્ષાના અકસ્માતમાં ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

નાગરભાઇ દેત્રોજા તા. ૨૦/૬ના સવારે છકડામાં બેસી પોતાના ગામથી થાન તરફ મજૂરીએ જતાં હતાં ત્યારે ચોટીલા રોડ ગુગલીયાળાના પાટીયે રિક્ષા પલ્ટી મારી જતાં તેના સહિત બીજા મજૂરોને ઇજા થઇ હતી. તેમને માથા-શરીરે-મોઢા પર ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગઇકાલે દમ તોડી દીધો હતો.

મૃત્યુ પામનાર નાગરભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:13 pm IST)