સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં કૃષિ મહોત્સવ યોજાયો

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ વિષયક પ્રશ્નો યાંત્રીકરણ અંગેની જાણકારી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અપાઇ હતી. વિવિધ સ્ટોલો ઉભા કરીને ખેડૂતોને જરૂરી સાહિત્ય વિતરણ કરી માર્ગદર્શન પુરૂ પડાયુ હતુ તેમજ આ કૃષિ મેળામાં પુર્વ કૃષિમંત્રી ચીમનભાઇ સાપરીયા, મા.યાર્ડના વાઇસ ચેરમેન સી.એમ.વાછાણી, મામલતદાર ખુશાલભાઇ જાવીયા ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.

(12:10 pm IST)