સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ઓખા ભારતીય તટરક્ષક જીલ્લા મુખ્ય કાર્યાલય - ૧૫માં પ્રદુષણ પ્રતિક્રિયા સેમીનાર યોજાયો

 ઓખા : ભારતીય પટરક્ષક જીલ્લા મુખ્ય કાર્યાલય - ૧૫માં પ્રદુષણ પ્રતિક્રિયા સેમીનાર-૨૦૧૯નું પ્રથમ વખત જ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપ મહાનિરીક્ષક મુકેશ કુમાર શર્મા તટરક્ષક પદક જીલ્લા કમાન્ડર - ૧૫ રહ્યા હતા. આ સેમીનારમાં પ્રદિપ દાવે (ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ), નવીનકુમાર જૈન (ઈન્ડિયન ઓઈલ કો.લી. વાડીનાર), કપ્તાન ગૌરવ ગુપ્તા (ઈ.એસ.એસ.આર સલાયા), સંજીવ જૈન (ટાટા કેમીકલ લી. મીઠાપુર) ખાસ હાજરી આપી હતી અને પ્રદુષણ પ્રતિક્રિયા પર પોતાનું વકતવ્ય આપ્યુ હતું અને તમામ સંસ્થાઓ દ્વારા પ્રદુષણને રોકવા માટે વિચાર વિમર્શ કર્યો હતો. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ ભરત બારાઈ)

(12:10 pm IST)