સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

શ્રી ઘેલા સોમનાથ મહાદેવને એક જ દિવસમાં ૪ શણગાર

જસદણ તા. ર૪: ઇતિહાસમાં આગવી ઓળખ આપનારા પવિત્ર તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને આજે પૂજારી હસુભાઇ જોશી દ્વારા માતાજી મહાકાલ સહિત જુદા જુદા ચાર શણગાર કરાયાં હતાં માનદ વહીવટદાર મનુભાઇ શીલુંની રાહબરી હેઠળ દરેક વાર તહેવારે દાદાને અવનવાં શણગાર કરવામાં ઘેલાં સોમનાથ મોખરે હોય છે અને ભાવિકો પણ બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લે છે.

(12:04 pm IST)