સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

દીવના વણાંકબારામાં પરણીતાએ ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરતા કરૂણમોત :પતિ પણ દાઝ્યો

ઘરકંકાસને કારણે અંતિમ પગલું ભર્યું :પતિ ઉના હોસ્પિટલમાં દાખલ :પાંચ સંતાનો માતા વિહોણા

સંઘ પ્રદેશમાં દીવમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્નીએ અગ્નિસ્નાન કરતા મોત નીપજ્યું હતું

 આ અંગે મળતી વિગત મુજબ દીવના વણાંકબારામાં આવેલી ગદુલીવાડીમાં મહિલાએ ડિઝલ છાંટી પોતાને આગ ચાંપી હતી. ચાર છોકરીઓ અને એક છોકરાની માતાએ ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હતુ. સળગી રહેલી પત્નીને બચાવા જતા પતિ પણ આગની ઝપટમાં આવતા દાઝી ગયા હતા તે ગીર સોમનાથના ઉના ખાતે સારવાર લઈ રહ્યો છે,જ્યારે પત્નીનું મોત થયું હતું.

  સંધ પ્રદેશ દિવમાં વણાંકબારામાં આવેલી સાઉદવાડીના તાબા હેઠળની ગદુલીવાડી ખાતે આ ઘટના ઘટી હતી.મૃતક મહિલાને ચાર દિકરીઓ અને દિકરો છે સામાજીક અને પારિવારિક ઝઘડાના કારણે પતિ પત્ની વચ્ચે ખટરાગ હતો તેવું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી શક્યું છે

(12:02 pm IST)