સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

જુનાગઢમાં ૪૯ નિમણુંક પત્રો અપાયા

જુનાગઢ : આઇ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા જુનાગઢ હસ્‍તકના ઘટક જુનાગઢ-૧ (અર્બન) હેઠળ ખાલી પડેલ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરાની જગ્‍યાઓ માટે પસંદગીપ ામેલ ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આઇ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢના આંગણવાડી કેન્‍દ્રો ખાતે ખાલી પડેલ કુલ ૪૯ જગ્‍યાઓ માટે વડી કચેરી દ્વારા મળેલ સુચના અન્‍વયે સમગ્ર ગુજરાત રાજયમાં એક સાથે ઓનલાઇન જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. આ જાહેરાત અન્‍વયે કુલ ૯૬૩ અરજીઓ ઓનલાઇન આવેલ હતી. જેની ચકાસણી કર્યા બાદ કુલ ૬૮૪ અરજી મંજુર કરાવમાં આવેલ છે અને ર૭૯ અરજીનામંજુર કરવામાં આવેલ છે. મંજુર થયેલ અરજીઓનુ મેરીટ લિસ્‍ટ  ઓનલાઇન પ્રસિધ્‍ધ કરવામાં આવેલ હતુ. મેરીટમાં પ્રથમ ક્રમે આવેલ ઉમેદવાર ખાલી પડેલ જગ્‍યા પર નિમણુંક આપવામાં આવેલ છે.

(1:53 pm IST)