માળીયાહાટીના ગળોદર ગામના હાટી દરબાર યુવાનનો પ્રેમ સબંધે ધાકધમકીથી ત્રાસીને આપઘાત
માળિયાહાટીના તા.ર૪ : માળીયાહાટીના તાલુકાના ગળોદર ગામે ધાક ધમકીની બીકથી જગાભાઇ ટીકડા ખાઇને આપઘાત કરેલ છે.
વિગત એવી છે કે ગળોદર ગામના હાટી દરબાર જગદીપભાઇ ભુરાભાઇ સીંધવ (ઉ.૩૦) આશરે ૩ વર્ષ પહેલા ગળોધર ગામનાજ જોસનાબેન જસાભાઇ કોળી સાથે પ્રેમ સબંધ થયેલ હતો અને તેઓ બન્ને મૈત્રી કરારના કાગળો કરી ભાગી ગયા હતા અને ત્યારબાદ તેઓ પાછા આવીને જગદીપભાઇ સીંધવે જોસનાબેનને તેમના પતીને સોપેલા હતા.
ત્યારબાદ જોસનાબેનના પરીવારો (૧) બાબુભાઇ મયુરભાઇ કોળી (ર) તરૂણ બાલુભાઇ કોળી (૩) સવલસ કોળી (૪) કવાભાઇ કાનાભાઇ કોળી આ ચારેય વારંવાર જગદીપભાઇ ધાકધમકી આપતા હતા આ ધમકીથી કંટાળીને જગદીપભાઇ સીંધવે જેરી ટીકડા ખાઇને આપઘાત કરેલ છે એમ જગદીપભાઇ સીંધવના મોટાભાઇ આલીગભાઇ ભુરાભાઇ સીંધવે માળીયા પોલીસમાં ઉપરોકત ચાર સામે ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.