સૌરાષ્ટ્રમાં કુંવરજીભાઇ બાવળીયાએ ચૂંટણી પ્રવાસ કર્યો ત્યાં કોંગ્રેસના સુપડા સાફ
આટકોટ તા. ર૪ :.. સૌરાષ્ટ્રની બેઠકો સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અને અમરેલી તેમજ અમદાવાદના વિસ્તારોકે જેમાં કોળી સમાજ અને અમરેલી તેમજ અમદાવાદના વિસ્તારો કે જેમાં કોળી સમાજ અને કોંગ્રેસનું પ્રભુત્વ ગત ર૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળેલ તેવા વિસ્તારોમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ લોકસભાની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રવાસ કરેલ અને કુંવરજીભાઇ સાથે જોડાયેલ તમામ સમાજનાં આગેવાનો સાથે મીટીંગો યોજેલ અને જાહેર સભાઓ કરેલ.
જુનાગઢમાં ઉના, કોડીનાર, ગીરગઢડા, નવાબંદર, વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, જામનગરમાં ઘેડ વિસ્તાર, નવાગામ, દ્વારકા, પોરબંદરમાં માંગરોળ, ગોંડલ, ઉપલેટા, અમદાવાદમાં ધોળકા, ધંધુકા, સાણંદ તાલુકાઓ, ભાવનગરમાં બોટાદ, મહુવા, પાલીતાણા વિસ્તાર, અમરેલીમાં બાબરા, લાઠી, રાજૂલા, સાવરકુંડલા, જાફરાબાદ, ધારી, ખાંભા વિસ્તાર, રાજકોટ લોકસભા બેઠકમાં મોરબી, વાંકાનેર, કોટડા સાંગાણી, લોધીકા, ટંકારા, મોરબી વિસ્તારોમાં પ્રવાસો, મીટીંગો, જાહેરસભાઓ કરેલ અને આ કોંગ્રેસના ધારાસભ્ય ધરાવતા વિસ્તારોમાં પણ જંગી લીડથી લોકસભાના ભાજપાના ઉમેદવારો વિજયી થયા હતાં.