સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

અમરેલીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયાઃ ૬૦ હજારની ઉઠાંતરી

અમરેલી, તા., ૨૪: માણેકપરામાં સત્યનારાયણ મંદિરની પાછળ રહેતા મહેશભાઇ પોપટભાઇ ગેડીયા નામનો પરીવાર પોતાના ઘરે તાળા મારી લગ્ન પ્રસંગે ગયેલ હોય ત્યારે કોઇ અજાણ્યા તસ્કરો તાળા તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના રોકડ મળી કુલ કિ. રૂ. પ૯૦૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી પોલીસમાં થવા પામી હતી.

(11:33 am IST)