News of Thursday, 24th May 2018
જામનગરની જી.જી. હોસ્પિટલમાં સાડા ત્રણ વર્ષના બાળકનુ મોતઃ તબીબો સામે આક્ષેપો
જામનગર તા.૨૪: જામનગરમાં તબીબો દ્વારા યોગ્ય સારવાર ન મળતા એક સાડા ત્રણ વર્ષના બાળકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સાડા ૩ વર્ષના દત નામના બાળકને એમઆરઆઇ કરાવવા માટે લાવવામાં આવ્યો હતો.
જયાં તેનુ મોત થતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે.
પરિવારજનોએ તબીબો સામે આક્ષેપ કરીને જણાવ્યુ છે કે, યોગ્ય સારવાર ન થતા બાળકનુ મોત થયુ છે.
પરિવારજનોએ હોસ્પિટલમાં ઘેરાવ કરીને રોષ ઠાલવ્યો હતો.(૭.૨૨)
(3:53 pm IST)