સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૬૫ કેસ અને ૦૪ મૃત્યુ : કોવીડ પ્રોટોકોલ મુજબ ૧૭ મૃતદેહના અંતિમ સંસ્કાર

મોરબી જીલ્લામાં કોરોના કહેર સાથે મૃત્યુ આંક સતત વધી રહ્યો છે આજે સરકારી ચોપડે જીલ્લામાં ૬૫ નવા કેસ અને ૦૪ મૃત્યુ નોંધાયા છે જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ આજે ૧૭ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૩૨ કેસ જેમાં ૧૬ ગ્રામ્ય અને ૧૬ શહેરી વિસ્તારમાં નોંધાયા છે અને ૦૩ દર્દીના મૃત્યુ થયા છે વાંકાનેર તાલુકાના ૧૦ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૪ કેસોમાં ૦૬ ગ્રામ્ય અને ૦૮ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૬ કેસો ગ્રામ્ય પંથકમાં અને ૦૧ દર્દીનું મૃત્યુ થયું છે જયારે માળિયા તાલુકાના ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને જીલ્લામાં નવા ૬૫ કેસ નોંધાયા છે તો ૪૭ દર્દી સ્વસ્થ થયા છે જયારે સરકારી ચોપડે ૦૪ મૃત્યુ દર્શાવ્યા છે
નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૬૮૧ થયો છે આજે ૧૭ મૃતદેહના કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

(11:40 pm IST)