વિંછીયા બે દિવસ સ્વૈચ્છીક બંધ
કોરોના સંક્રમણ અટકાવવા માટે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધંધા-રોજગાર બંધ
(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા, તા., ૨૪: કોરોનાના વધતા સંક્રમણ અને વધતા મૃત્યુના આંક સામે કોરોના ચેન તોડવા વેપારીઓએ શનીવાર-રવીવાર સંપુર્ણ સ્વૈચ્છીક બંધનું એલાન કરતા આજ સવારથી જ વિંછીયા શહેર સજ્જડ સંપુર્ણ બંધમાં જોડાયું છે. ચા-પાનના ગલ્લાથી લઇ તમામ વેપારીઓ બંધમાં જોડાયા છે. અહી નોંધનીય છે કે છેલ્લા ૧૫ દિવસથી વિંછીયા શહેર વાગે લોકડાઉન પાળી રહયું છે. પણ છેલ્લા કેટલાક દિવસોથી વિંછીયા તથા તાલુકાભરના ગામડાઓમાં ઠેર-ઠેર કોરોના સંક્રમણ વધી ગયું છે. શેરીએ-શેરીએ તાવ-શરદી-ઉધરસના દર્દીઓ ઉભરાઇ રહયા છે. વિંછીયા સહીત તાલુકાના ગામડે-ગામડેથી કોરોના શંકાસ્પદ મૃત્યુના સમાચારથી લોકો ફફડી ગયા છે જેને લઇ શની-રવી બે દિવસનું સંપુર્ણ લોકડાઉન અપાતા વિંછીયાની તમામ બજારો સવારથી જ સંપુર્ણ બંધ છે. આ બાજુ વિંછીયા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.